ગુજરાતનું નામકરણ

o   પૌરાણિક કથા મુજબ મનુના પૌત્ર તથા શર્યાતિના પુત્ર આનર્તની સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક પ્રદેશોમાં સત્તા હતી. તેના નામ પરથી ગુજરાત માટે ‘આનર્ત’ નામ વપરાતું. આનર્તનું મુખ્ય શહેર ‘દ્વારકા’ હતું.

o   બીજી સદીના શિલાલેખોમાં આનર્તને સૌરાષ્ટ્રથી અલગ દર્શાવવામાં આવ્યું છે.

o   પૌરાણિક માન્યતા અનુસાર જરાસંઘ અને શિશુપાલના ત્રાસથી યાદવોએ શ્રીકૃષ્ણની આગેવાનીમાં મથુરાથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું. આ સમયે સૌરાષ્ટ્રમાં આનર્તના પુત્ર રૈવતનું શાસન હતું.

o   યાદવોએ રૈવતને યુદ્ધમાં હરાવ્યો અને શ્રીકૃષ્ણે કૂથસ્થલી પાસે ‘દ્વારવતી’ નામનું નવું નગર વસવીને તેને પોતાની રાજધાની બનાવી. આમ, કૂથસ્થલીને ગુજરાતની પ્રથમ રાજધાની માનવામાં આવે છે.

o   મૈત્રક કાળમાં ગુજરાત માટે ‘લાટ’ શબ્દ વપરાતો જે અનુમૈત્રક કાળમાં ફક્ત દક્ષિણ ગુજરાત માટે લાગુ પડ્યો.

o   ‘લાટ’ શબ્દનો પ્રયોગ પાંચમી સદીથી જોવા મળે છે.

o   લાટ પ્રદેશનો ઉલ્લેખ ટોલેમીના ભૂગોળ અને વાત્સાયાયનના કામસૂત્રમાં પણ જોવા મળે છે.

o   દીપવંશ અને મહાવંશમાં પણ લાટ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.

o   મૈત્રકકાળમાં આબુની ઉત્તરે આવેલ પ્રદેશ ‘ગુર્જરદેશ’ કે ‘ગુર્જરભૂમિ’ કહેવાતો.

o   અનુમૈત્રક કાળ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભિન્નમાલ પ્રદેશને ગુર્જરદેશ તરીકે ઓળખવામાં આવતો.

o   સોલંકીકાળમાં ગુર્જરદેશ નામ પ્રચલિત હતું.

o   સોલંકી – વાઘેલા વંશમાં ગુજરાત નામ પ્રચલિત બન્યું.

o   ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ‘આબુરાસ’ (1233 – પાલ્હાણ રચિત) માંથી મળે છે.

o   આરબોના સંપર્કથી ગુર્જરને ‘રત્’ બહુવચન પ્રત્યય લાગતાં ગુજરાત શબ્દ બન્યો.

o   13 મી સદીમાં ભારતની યાત્રાએ આવેલા માર્કોપોલોએ ‘ગુજાત’ નામનો પ્રયોગ કર્યો છે.

Post a Comment

0 Comments