આઝાદી પછીનું ગુજરાત

 o   15 ફેબ્રુઆરી, 1948 ના રોજ ગુજરાતને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું: 1) મુંબઈ રાજ્ય, 2) સૌરાષ્ટ્ર રાજ્ય, 3) કચ્છ.

o   મુંબઈ રાજ્ય A કેટેગરીનું રાજ્ય હતું જેમાં તળ ગુજરાતનાં જિલ્લાઓનો સમાવેશ થતો હતો.

o   સૌરાષ્ટ્ર રાજ્ય B કેટેગરીનું રાજ્ય હતું જેમાં કાઠીયાવાડના 5 પ્રદેશો (હાલાર, સોરઠ, ઝાલાવાડ, ગોહિલવાડ અને મધ્ય સૌરાષ્ટ્ર) નો સમાવેશ થતો હતો.

o   કચ્છ રાજ્ય C કેટેગરીનું રાજ્ય હતું જે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ગણાતું.

 

þ સૌરાષ્ટ્ર રાજ્ય

o   સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્ય ચાર (ભાવનગર, ધ્રાંગધ્રા, જામનગર, જુનાગઢ) રાજ્યો હતા.

o   15 ફેબ્રુઆરી, 1948 ના રોજ આ ચાર રાજ્યોને ભેળવી દઈને સરદાર પટેલના હસ્તે જામનગર ખાતે સૌરાષ્ટ્રની સ્થાપના થઈ હતી. સ્થાપના સમયે સૌરાષ્ટ્ર રાજ્યનું નામ ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડ’ હતું જેમાં 217 રજવાડા હતા.

o   નવેમ્બર, 1948 માં 222 રજવાડાઓ થતાં નામ બદલીને ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર – USS’ રાખવામાં આવ્યું.

o   USS માં પાંચ જિલ્લાઓ હતા – હાલાર, ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ અને રાજકોટ. જેમાં રાજકોટ એ સૌરાષ્ટ્ર રાજ્યની રાજધાની હતું. (જ્યારે અમરેલી એ બૃહદ મુંબઇનો હિસ્સો હતું.)

 

þ કચ્છ રાજ્ય

o   તત્કાલીન કચ્છ રાજ્ય મહારાવ મદનસિંહના શાસન હેઠળ હતું. તેમની માંગણીને ધ્યાનમાં લઈ 4 મે, 1948 ના રોજ કચ્છ રાજ્યને ભારતસંઘ સાથે જોડી કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યું, જે 1956 માં મુંબઇ અને ત્યારબાદ ગુજરાતનો હિસ્સો બન્યું.

Post a Comment

0 Comments